કોલેજ દ્વારા આજ રોજ શ્રી પ્રમુખ સ્વામી મહારાજના શતાબ્દી મહોત્સવના ભાગરૂપે શ્રી આદર્શ સેવા સ્વામીજી અને શ્રી પવિત્ર મુનિ સ્વામીજી દ્વારા વ્યસન મુક્તિ અને પારિવારિક શાંતિ વિષય ઉપર "મારું જીવન સુખી જીવન, મારો પરિવાર સુખી પરિવાર" ના સુત્ર સાથે એક આધ્યાત્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગ કોલેજના તમામ વિદ્યાર્થીઓ અને સ્ટાફ માટે ખૂબ જ ઉત્સાહ વર્ધક અને પ્રેરણાદાયી રહ્યો હતો. પ્રવૃત્તિ સમિતિના સભ્યોએ પ્રિન્સિપાલ મેડમના માર્ગદર્શન હેઠળ કાર્યક્રમનું સફળતાપૂર્વક આયોજન કર્યું હતું.
કાર્યક્રમની ઝલક અહીં રજૂ કરી રહ્યા છીએ.